28 ફેબ્રુઆરી, 2014

ચૂંટણી પંચે જે કાર્યક્રમ તૈયાર કર્યો છે તે નીચે મુજબ છે.

કુલ પાંચ તબક્કે મતદાનના એંધાણઃ ૧૬ એપ્રિલે પ્રથમ તબક્કોઃ ૧૬મી મેના રોજ મત ગણતરી ?

૧૬ એપ્રિલથી ૧૩મી મે સુધીમાં મતદાન કરાવવા ચૂંટણીપંચની તૈયારીઃ ટુંક સમયમાં તારીખોનું એલાન : ચૂંટણીની તારીખોનું એલાન થતા જ આચારસંહિતા અમલી બનશેઃ કુલ ૮૧ કરોડ મતદારો

નવી દિલ્‍હી તા.ર૮ : લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે દેશનું ચૂંટણી પંચ સજ્જ થયુ છે. માર્ચ મહિનાના પ્રથમ સપ્‍તાહમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે. જાણવા મળતી વિગત અનુસાર લોકસભાની ચૂંટણી કુલ પાંચ તબક્કે યોજવામાં આવશે અને તે એપ્રિલના મધ્‍યથી શરૂ થઇને મેના બીજા સપ્‍તાહ સુધી ચાલશે. ચૂંટણી પંચે તૈયાર કરેલા કાર્યક્રમ મુજબ ૧૬મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

વર્તમાન લોકસભાની મુદ્દત ૩૧મી મેના રોજ પુરી થઇ રહી છે અને ૧લી જુન સુધીમાં નવી લોકસભા રચાઇ જવી જોઇએ. આ બાબતને ધ્‍યાનમાં રાખીને ચૂંટણી પંચે જે કાર્યક્રમ તૈયાર કર્યો છે તે નીચે મુજબ છે.

પ્રથમ તબક્કો : ૧૬ એપ્રિલ, ૧ર૪ બેઠકો

બીજો તબક્કો : રર કે ર૩ એપ્રિલ, ૧૪૧ બેઠકો

ત્રીજો તબક્કો : ૩૦ એપ્રિલ, ૧૦૭ બેઠકો

ચોથો તબક્કો : ૭મી મે, ૮પ બેઠકો

પાંચમો તબક્કો : ૧૩મી મે, ૮૬ બેઠકો

ચૂંટણી પરિણામ : ૧૬મી મે.

ચૂંટણી પંચના સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ચૂંટણીની તારીખોનું એલાન થાય કે તરત જ આચારસંહિતા અમલી બની જશે. દેશમાં કુલ ૮૧.૪ કરોડ મતદારો મતદાન કરશે અને તેમાં ૯.૭ કરોડ નવા મતદારો રહેશે. ચૂંટણી મુકત અને ન્‍યાયી ઢબે થાય તે માટે ૧.ર લાખ સલામતી દળના જવાનો તૈનાત કરવામાં આવશે.

ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો નક્કી કરતી વેળાએ ગરમી, તહેવારો, પરીક્ષાઓ વગેરેને પણ ધ્‍યાનમાં લેશે.

અત્રે એ નોંધનીય છે કે વડાપ્રધાન માર્ચના પ્રથમ સપ્‍તાહમાં વિદેશયાત્રાએ જઇ રહ્યા છે અને તેઓ વિદેશયાત્રાથી પાછા ફરે કે તરત જ ચૂંટણીપંચ તારીખોનું એલાન કરશે.

પ્રથમ તબક્કો : ૧૬ એપ્રિલ, ૧ર૪ બેઠકો
બીજો તબક્કો : રર કે ર૩ એપ્રિલ, ૧૪૧ બેઠકો
ત્રીજો તબક્કો : ૩૦ એપ્રિલ, ૧૦૭ બેઠકો
ચોથો તબક્કો : ૭મી મે, ૮પ બેઠકો
પાંચમો તબક્કો : ૧૩મી મે, ૮૬ બેઠકો
ચૂંટણી પરિણામ : ૧૬મી મે.
ચૂંટણી પંચના સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ચૂંટણીની તારીખોનું એલાન થાય કે તરત જ આચારસંહિતા અમલી બની જશે. દેશમાં કુલ ૮૧.૪ કરોડ મતદારો મતદાન કરશે અને તેમાં ૯.૭ કરોડ નવા મતદારો રહેશે. ચૂંટણી મુકત અને ન્‍યાયી ઢબે થાય તે માટે ૧.ર લાખ સલામતી દળના જવાનો તૈનાત કરવામાં આવશે.
ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો નક્કી કરતી વેળાએ ગરમી, તહેવારો, પરીક્ષાઓ વગેરેને પણ ધ્‍યાનમાં લેશે.
અત્રે એ નોંધનીય છે કે વડાપ્રધાન માર્ચના પ્રથમ સપ્‍તાહમાં વિદેશયાત્રાએ જઇ રહ્યા છે અને તેઓ વિદેશયાત્રાથી પાછા ફરે કે તરત જ ચૂંટણીપંચ તારીખોનું એલાન કરશે.